Design a site like this with WordPress.com
Get started

તણાવ અને પીડા – stress and pain

આપડે અનેક વાર અત્યંત મસાલેદાર ખાવાનું ખાતા હોઈએ છીએ, અને કોઈ વાર તો આપણને પીડા થાય તે હદે ખાતા હોઈએ છીએ. ઘણી વાર આમ ખાતી વખતે આપણને પરસેવો છુટી જાય તો પણ આપણને તેની મજા આવે છે. ઘણા લોકો વિચારતા હશે કે તીખું ખાવા થી પીડા કેવી રીતે થાય, અને આપણને તેના લીધે ગરમી કેમ લાગે. નોંધપાત્ર રીતે, સંશોધન બાદ જાણવા મળ્યું કે કેપ્સેસીન (capsaicin) જે તીખા મરચા માંથી મળી આવતો પદાર્થ છે, તે આપણા શરીરમાં રહેતા ગરમીને લગતા ચેતાતંત્રને પણ સાવચેત અને સક્રિય કરે છે. તેથીજ ગરમ અને મસાલેદાર ખાવાનું, સ્વાદ ઉપરાંત વાસ્તવિક રીતે ગરમી અને પીડાને લગતા ચેતાતંત્રને ઉત્સાહિત કરે છે.

પીડા (pain) અને તણાવ (stress) વચ્ચે બહુ ગાઢ સબંધ છે. પીડા એક તણાવ-કારક (stressor) પરિબળ છે, અને તેની સામે તણાવને કારણે આપણી પીડાને સહન કરવાની ક્ષમતામાં ફેરફાર થઇ શકે છે. આની પહેલાના અત્યાર સુધીના બધા લેખોમાં આપણે એક સામાન્ય વાત નોધી કે ટૂંકા ગાળા નો તણાવ યોગ્ય હોઈ શકે, પણ સતત અને લાંબા ગાળાના તણાવને કારણે વિવિધ પ્રશ્નો ઉભા થઇ શકે છે. તેમ સમયસર થતી પીડા આપણા જીવનની એક મહત્વની પ્રક્રિયા છે, જેના કારણે આપણે આપણું વર્તન બદલી શકીએ છીએ અને કોઈ જોખમ અથવા હાનીથી બચી શકીએ છીએ (કઈ વાગે-કરે ત્યારે, અચાનક દાઝીએ ત્યારે). પણ તેવા સમયે, જયારે આપણે કોઈ પ્રતિક્રિયા નથી કરી શકતા, તે દરમ્યાન પીડા એક દુખ ભરી અવસ્થા છે. આપણું શરીર પીડા અનુભવે ત્યારે વિવિધ જ્ઞાનેન્દ્રિયો (sensors) દ્વારા શરીરને સાવચેત કરવામાં આવે છે કે – શરીર સાથે કોઈ અનપેક્ષિત ઘટના ઘટી છે. આ જ્ઞાનેન્દ્રિયો (sensors) ચામડી પર (skin), પેશીઓમાં (muscles), વિવિધ અંગોમાં (organs) ફેલાયેલી હોય છે. અને સંકટ સમયે પીડાને લગતા રસાયણિક સંદેશો ચેતાતંત્ર- કરોડરજજુ (spinal cord) દ્વારા મગજ સુધી પહોચાડે છે. પીડાને લગતી આ જ્ઞાનેન્દ્રિયો (pain sensors) ગરમી, ઠંડી, દબાણ (pressure), અથવા કોઈ ઘા (cut-wounds) થાય તેવા સમયે ઉતેજીત થાય છે.

તો તમે હવે વીચારતા હશો કે આ વિવિધ પ્રકારના રસાયણિક સંદેશો મગજમાં ઉકેલાતા કેવી રીતે હશે? વોલ-મેલઝાક (Wall-Melzack model) દ્વારા આ પ્રક્રિયાની એક સરળ સમજુતી આપવામાં આવી છે. તે પહેલા જણાવી દઉં કે હકીકતમાં આપણું ચેતાતંત્ર આટલું સરળ નથી – પણ આ લેખમાં જરૂરી સમજણ માટે આ માહિતી પુરતી છે.  માની લો કે આપણી કરોડરજ્જુમાં એક ચેતાકોશ (neuron x) છે જે શરીરથી મગજ સુધી પીડાને લગતા સંદેશ પહોચાડવા માટે જવાબદાર છે. હવે આ ચેતાકોશ સુધી બે પ્રકારની પીડાના સંદેશ પહોચાડી શકાય છે – અચાનક અથવા આકસ્મિક પીડાને લગતા (sudden pain), અને અન્ય ધીમી પીડાને લગતા (slow pain). સરળતા માટે આકૃતિમાં ચેતાકોશોને ‘O‘ વર્તુળમાં દર્શાવ્યા છે.

વોલ-મેલઝાક (Wall-Melzack model) દ્વારા આપણે વિવિધ પ્રકારના રસાયણિક સંદેશો મગજમાં કેવી રીતે ઉકેલાતા હશે એની એક સરળ સમજુતી માણી શકીએ છીએ.

હવે એક વધારે વિગત ઉમેરીએ. એક બીજો ચેતાકોશ (neuron y) પણ આપણી કરોડરજ્જુમાં હાજર છે, જે પહેલા ચેતાકોશ સાથે જોડાયેલ અથવા સંપર્ક માં છે. હવે આ નવો ચેતાકોશ (neuron y) નું કામ છે કે તે પહેલા ચેતાકોશને (neuron x) શાંત પાડે છે. તો જયારે આપણે અચાનક પીડા અનુભવીએ (અજાણે દઝીયે અથવા વગાડીએ ત્યારે) શરીર પહેલા ચેતાકોશને (neuron x) ઉત્સાહિત કરશે અને આપણને પીડાનો અનુભવ થશે. તેજ સમયે શરીર બીજા ચેતાકોશ (neuron y) ને પણ ઉત્સાહિત કરશે, જે બદલામાં હળવેકથી પહેલા ચેતાકોશને (neuron x) નિષ્ક્રિય કરી શાંત પડશે. આજ કારણ સર આપણે જયારે ભૂલમાં કોઈ ગરમ વસ્તુને હાથ લગાડીએ ત્યારે અચાનક અતિશય પીડા થઇ થોડા સમયમાં શાંત પડી જાય છે. આનાથી વિરુદ્ધ, જયારે કોઈ ધીમી ગતિની પીડા અનુભવાય, ત્યારે બસ શરીર પહેલા ચેતાકોશને જ (neuron x) ઉત્સાહિત કરશે અને બીજા ચેતાકોશને (neuron y) નહિ કરે જેથી પહેલો ચેતાકોશ (neuron x) લાંબા સમય સુધી સક્રિય રહેશે અને આપણે પીડા પણ લાંબા સમય સુધી અનુભવીશું.

હવે એક છેલ્લી વિગત ઉમેરીએ કે કરોડરજ્જુ-થી-મગજ સુધી જતા ચેતાકોશો ની જેમ મગજ-થી-કરોડરજ્જુ તરફ પણ ચેતાકોશો સંદેશ લઇ જતા હોય છે. મગજમાં થી નીકળતા આ વિવિધ ચેતાકોશો પીડા સામેની સંવેદનશીલતા નું નિયમન કરે છે – જેમાં તે કોઈ પીડાને લગતા સંદેશને હળવા કરી શકે છે (analgesia), અથવા કોઈ નાના અમથી પીડાને ઉગ્ર રૂપમાં પરિવર્તિત કરી શકે છે (hyperalgesia). મગજ-અને-કરોડરજ્જુના વાર્તાલાપનું નિયમન કરતી આ પ્રણાલીમાં તણાવની અસર નોધી શકાય છે. જેમાં એક સારા કિસ્સામાં તણાવ દ્વારા પીડાને લગતા સંદેશોની સામે મગજ આ સંદેશોને હળવા અને સહી શકાય તેવા કરે છે (stress induced analgesia). સામાન્ય રીતે મગજ દ્વારા એન્ડોરફીન (endorphins)ના સ્ત્રાવને કારણે પીડાને હળવી પાડી શકાય છે. મોટા ભાગે ટુંકા ગળાના તણાવ ની અસર પીડાને હળવી કરતી હોય તેમ જોવા મળે છે.

પણ સતત રહેતા તણાવ ને કારણે પીડાની અનુભૂતિ માં કેવી અસર જોવા મળે છે? તો આ કિસ્સામાં વાત થોડી ગંભીર બની જાય છે. સતત પીડત રહેતા વ્યક્તિઓમાં ચેતાતંત્ર વધારે સંવેદનશીલ થતું જાય છે અને તેના કારણે કોઈ પીડા સામે અતિસંવેદનશીલતા દર્શાવે છે (hyperalgesia), જેમાં નાની અમથી પીડાને કારણે કોઈ વ્યક્તિ તેને સામાન્ય કરતા ઉગ્ર રૂપે અનુભવી શકે છે. અહી મગજ દ્વારા એન્ડોરફીન (endorphins)ના સ્ત્રાવમાં ઘટાડો જોવા મળે છે અને તે પીડા સામે આપણને રક્ષણ નથી પૂરું પડી શકતા. આ ખરેખર એક અપવાદ રૂપી પ્રણાલી છે જેના સતત સક્રિય રહેવાને કારણે પ્રણાલી ધીમી અથવા બંધ નથી પડતી, પણ વધારે સક્રિય બને છે.   

Advertisement

Published by Darshak

PhD candidate enrolled at the University of Groningen and the University of Sao Paulo, pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment. Find @DarshakWrites

One thought on “તણાવ અને પીડા – stress and pain

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: