Design a site like this with WordPress.com
Get started

તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress

માનસિક તણાવમાં એવું તો શું છે કે જે કોઈ વ્યક્તિને હેરાનગતિ પહોચાડે? આપણે આગળના લેખમાં ત્રણ પરિબળો ચર્ચ્યા – અભિવ્યક્તિના સાધનો, સામાજિક સહકાર અને તણાવની આગાહી કરવાની સમજણ. આ ઉપરાંત એક પરિબળ છે – જીવન પરના નિયંત્રણની અનુભૂતિ. જેમાં કોઈ વ્યક્તિની માન્યતા પ્રમાણે પોતાના જીવન પર પુરતું નિયંત્રણ અનુભવતા હોય તો તેમને તણાવની ખરાબ અસર નથી પડતી.

ઓફીસ અથવા અન્ય કાર્યસ્થળ માં કોઈ વ્યક્તિ પાસે કેટલું નિયંત્રણ હોય છે તે હાલમાં સંશોધનના વિશ્વમાં એક મહત્વનો મુદ્દો છે. કારણકે આમાં આપડે તપાસી શકીએ છીએ કે કોર્પોરેટ ની આ દુનિયામાં તણાવની સોથી વધારે આડઅસર કયા સ્તરના શ્રમિકો પર જોવા મળે છે. સામાન્ય માન્યતા વિરુદ્ધ, ઉપલા વર્ગના અધિકારીઓ પર એટલો બધો તણાવ નથી પહોચતો, અને ખરેખર મધ્યમ વર્ગના અધિકારીઓ પર સોથી વધારે આડઅસર નોધવામાં આવી છે. કારણકે મધ્યમ વર્ગના અધિકારીયો પાસે વધારે પડતા માનસિક શ્રમની માંગ હોય છે અને તેમને સરખામણીમાં ઓછુ નિયંત્રણ આપવામાં આવે છે. ઉપરાંત એવા અધિકારીઓ પણ તણાવ થી અસરગ્રસ્ત હોય છે જેમને ઓછા કામની માગ ને કારણે કંટાળો આવતો હોય છે અને આ પરિસ્થિતિ સામે કોઈ નિયંત્રણ નથી હોતું. આમની સરખામણીમાં ઉચ્ચ સ્તરના અધિકારીયો તણાવથી ઓછા પીડાતા હોય છે કારણકે તેમની પાસે પરિસ્થિતિ સામે પુરતું નિયંત્રણ કરવાની શક્યતા હોય છે.

આ ઉપરાંત બીજી મહત્વની વાત છે : પરિસ્થિતિ સુધારવા અથવા બગાડવાનો આભાસ. દાખલા તરીકે કોઈ નીચલા વર્ગના કર્મચારીને ૧૦૦૦ ને બદલે ૧૦,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવે, અને તે સમયે કોઈ ઉચ્ચ વર્ગના અધિકારીને ૧૦૦,૦૦૦ ને બદલે ૧૦,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવે તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બંને ને સરખો પગાર મળતો હોવા છતાં તેમની માનસિક પરિસ્થિતિખુબ અલગ જોવા મળશે.

આપણને આ બંને પરિબળો વિષે ની માહિતી કેવી રીતે મદદરૂપ બની શકે? સરળ રીતે એમ કહી શકાય કે, જીવનમાં વધારે નિયંત્રણ હોવું સારું છે, સારી કે ખરાબ પરિસ્થિતિ વિષેની આગાહી કરવાની સમજણ હોય તો તે પણ સારી વાત છે, અને તણાવની સામે લડવા માટે સામાજિક સહકાર અને અભિવ્યક્તિના સાધનો મહત્વનો ભાગ ભજવે છે. નોધવાની વાત એ છે કે આપણે રોજ આ પરિબળો અને લગતી માહિતીનો ઉપયોગ કદાચ નહિ કરી શકીએ કારણ કે બધાજ સંજોગોમાં બધા પરિબળો એક સમાન નથી કાર્ય કરતા. જેમ કે પરિસ્થિતિની આગાહી ટૂંકા સમય પહેલા કરવાથી તૈયારી કરવાનો સમય નથી રહેતો, અને ખુબ દુરના સમય માટેની આગાહી પણ માનસિક તૈયારીમાં મદદ નથી કરતી. ઉપરાંત ભાગ્યેજ થતા તણાવ સામે કોઈ તૈયારી સંભવ નથી.

સમાન રીતે નિયંત્રણ હોવાની ભાવના પણ દરેક પરિસ્થિતિમાં મદદરૂપ નથી હોતી. જેમ કે આપણે ઘણી વાર કોઈ આઘાતજનકપરિસ્થિતિ દરમ્યાન કહેતા હોઈએ છીએ “આ પરિસ્થિતિમાં કોઈનો વાંક અથવા જવાબદારી નથી – કારણકે આમાં કશું શક્ય ન હતું. જે થવાનું હતું તે થઇ ગયું”. આમ ઘણી વાર આપણે કોઈ વ્યક્તિને મદદુરૂપ થવા માટે તેમના પરથી નિયંત્રણને ભાવના હટાવી લેતા હોઈએ છીએ. આમાંથી એ સમજ્યા છે કે નાના-અથવા મધ્યમ પરકારના તણાવ દરમ્યાન નિયંત્રણની ભાવના મદદરૂપ થઇ શકે છે, અને મોટા તણાવ સામે નિષ્ફળતા થી બચાવવા માટે આપણે કોઈ વ્યક્તિને નિયંત્રણની ભાવના માંથી મુક્તિ આપીએ એ મદદરૂપ થવા બરાબર છે.  

Advertisement

Published by Darshak

PhD candidate enrolled at the University of Groningen and the University of Sao Paulo, pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment. Find @DarshakWrites

One thought on “તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: