Design a site like this with WordPress.com
Get started

તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward

આ લેખમાં આપણે સમજીએ કે તણાવને (stress related) કારણે કોઈ વ્યક્તિના માનસ અને વર્તન (psychiatric and behavioral changes) પર કેવી અસર પડે છે. પહેલા વાત કરીએ ચિંતા (anxiety) વિષે. તણાવને કારણે ડીપ્રેશન કરતા વધારે લોકો ચિંતાથી પીડાતા હોય છે. મગજના મધ્યમાં રહેતો ભાગ જેને અમીગ્ડેલા (amygdala) તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિના ભય અને ફોબિયા (અતાર્કિક ભય – phobia) માટે જવાબર હોય છે. તણાવને કારણે અમીગ્ડેલા (amygdala) સક્રિય થાય છે, કારણે તે ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) સામે વધારે સંવેદનશીલ હોય છે. આમ સતત તણાવ રહેવાને કારણે ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids)ના સ્ત્રાવ માં વધારો થાય છે અને પરિણામે અમીગ્ડેલા (amygdala) સક્રિય થાય છે અને તે વ્યક્તિ ભય અનુભવે છે. લાંબા સમય સુધી તણાવ અનુભવવાને લીધે અમીગ્ડેલા (amygdala) વધારે અને વધારે સંવેદનશીલ બનતું જાય છે જેના કારણે તે વ્યક્તિ ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં મુકાય છે (anxiety disorder).

હવે વાત કરીએ તણાવને કારણે અનુભવાતી દુશ્મનાવટ વિષે જેને A-પ્રકારના વ્યક્તિત્વ (type-A personality) તરીકે ઓળખવા માં આવે છે. આ પરિસ્થિતિ દરમ્યાન કોઈ વ્યક્તિ એમ માની બેસે છે કે તેમની આજુ બાજુ રહેતા બધાજ લોકો તેમના પ્રતિસ્પર્ધી અથવા દુશ્મન હશે. ઉદાહરણ તરીકે, તમે બજારમાં વાહન લઈને નીકળ્યા હો અને તમારી આગળ કોઈ વ્યક્તિ એકદમ ધમી ગતિએ વાહન ચલાવતું હોય, ત્યારે તમને થાય કે આ વ્યક્તિ હાથે રહી ને તમને હેરાન કરવા વાહન ધીમે ચલાવે છે – જયારે હકીકતમાં એમ ના હોય. આમ કરવાથી તમે પોતાની જાતને હૃદયના રોગ માટે જોખમમાં મુકો છો.            

વ્યક્તિત્વ અને તણાવ વચ્ચેના સંબંધમાં એક નોધપાત્ર ઉદાહરણ છે એવા વ્યક્તિઓનું જે પોતાના વ્યક્તિત્વને કાબુમાં રાખવાનો અતિશય પ્રયત્ન સતત કરતા હોય છે (repressed personality). આમ વ્યક્તિત્વ-દમન કરવાથી તે લોકોને ડીપ્રેશન નથી થતું અને સામાન્ય રીતે તે લોકો આનંદમાં રહેતા હોય છે. આ લોકો એવું વ્યક્તિત્વ ધરાવે છે જેમાં તે ખુબ નિયંત્રિત જીવન જીવતા હોય છે, રોજ એક સરખી જીવનશૈલી, આવતા ૨-૩ અઠવાડિયામાં તે શું કરવાના છે તેનું તેમને ધ્યાન હોય છે, વગેરે અને આમ એક શિસ્ત ભર્યું જીવન વિતાવતા હોય છે. આવ વ્યક્તિઓનું જીવન ત્યાં સુધી આનંદમાં વીતે છે જ્યાં સુધી તે કોઈ અણધાર્યા તણાવ અથવા પરિસ્થિતિનો સામનો નથી કરતા – કારણકે તેમને જીવનમાં આશ્ચર્ય અને અણધારી પરિસ્થિતિ માટે તૈયારી કરવાની ટેવ નથી હોતી. ઉપરાંત આ જીવનશૈલીનો એક ગેરલાભ એ છે કે જયારે આ વ્યક્તિઓનો અભ્યાસ થયો ત્યારે જાણવા મળ્યું કે તેમના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) સામાન્ય કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વાત દર્શાવે છે કે એક એવી જીવનશૈલીની જેમાં ક્યારેય તણાવના અનુભવવો પડે તેની રચના કરવામાં કોઈ વ્યક્તિ ખુબ તણાવ અનુભવતા હોય છે.

તણાવને લગતા સંશોધનનો ધ્યેય માત્ર તણાવ દુર કરવાનો નથી હોતો. પણ યોગ્ય પ્રકારના તણાવ સામે યોગ્ય પ્રતિક્રિયા કેવી રીતે આપવી તે હોય છે. ઘણા સંજોગોમાં તણાવ હકારાત્મક હોય છે અને ત્યારે આપણે તેને ઉત્તેજના તરીકે ઓળખીએ છીએ. ઉતેજના એટલે એક હળવો તણાવ કે જે કોઈ બાળક અથવા વ્યક્તિને સલામત વાતાવરણમાં આપવામાં આવે, અને પરિણામે તે વ્યક્તિને આનંદ આપે છે. આ પ્રક્રિયામાં ડોપામીન (dopamine) નામના હોર્મોન (hormone એક મહત્વનો ભાગ ભજવે છે. ડોપામીન (dopamine) આપણને ઈનામની અપેક્ષા માટે પ્રેરે છે અને કાર્ય ના પરિણામ માટે અથવા જીવન જીવવા માટે આતુર રાખે છે. ટૂંકા ગાળા માટે અનુભવાતો તણાવ અથવા કોઈ સલામત વાતાવરણમાં અનુભવાતો હળવો તણાવ, જેમ કે કોઈ રમત (જુગાર, ક્રિકેટ, ફૂટબોલ) રમતી વખતે થતી અનુભૂતિ, કોઈ વ્યક્તિને ઉત્તેજિત રાખે છે અને પરિણામે આનંદ આપે છે. અન્ય પરિસ્થિતિમાં ટૂંકા ગાળા દરમ્યાનનો તણાવ ને કારણે થતો ડોપામીન (dopamine) નો સ્ત્રાવ કોઈ વ્યક્તિને સારા મિજાજ તરફ લાઈ શકે છે.

Advertisement

Published by Darshak

PhD candidate enrolled at the University of Groningen and the University of Sao Paulo, pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment. Find @DarshakWrites

One thought on “તણાવ સાથેની ચિંતા, દુશ્મનાવટ, દમન અને વળતર – Anxiety, Hostility, Repression, and Reward

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: